મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રેમ લગ્ન

પ્રેમ લગ્ન...!
      લાખો યુવાદિલોની લાગણીઓની બલિ ચડે ત્યારે એક અભિનેત્રીના લગ્ન થતા હોય છે. દિવાળીની રજાઓમાં ગામની બજારે ઓટલા પરિષદમાં બલિ બનનાર આવા જ એક જુવાનિયાએ મોબાઈલમા આ બન્નેનો ફોટો બતાવી મને પૂછ્યું હતું કે, આ સોપડા(પ્રિયંકા ચોપરા) અનેે  દીપુ(દીપિકા પદુકોણે) પ્રેમલગન કરશે, તે ટકશે એનું..? કેમ લાગે તમને...? પ્રેમલગ્ન વિષે તમારુ શું કહેવું છે...?


       લગ્ન બાબતે તો અમારે કાઠિયાવાડમાં ચાલીસ કી.મીના વિસ્તારમાં દિકરા-દિકરીઓને વરાવવા જોણ કરે તો પણ ચાલીસેક જણા લાગતા વળગતાને પૂછપરછ કરે; છોકરો સ્વભાવે કેવો છે...? કમાય છે કે નહી...? આ બધુ દિકરીના સુખી ભવિષ્ય માટે એક બાપને બળતરા થતી હોય. આજના સમયમાં યુવા જગતનું આદર્શ હિરો-હિરોઈનો વધારે છે. ગ્લેમરની દુનિયામાં રૂપ અને સંપતિને વધારે પ્રાધાન્ય અપાય છે. એટલે યુવાદિલોમાં પ્રેમલગ્નો પણ ઘણીવાર સમજ્યા વગરનું આંધળું અનુકરણ પણ હોઈ છે. મન મળતા હોય તો પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. હુ પણ પ્રેમલગ્નનો સમર્થક છું. એક બે જોડાને ભેગા કરવામાં ભાગ પણ ભજવ્યો છે. સમાજના બદલતા જતા પ્રવાહમાં પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોય, પરંતુ પ્રેમસંબંધોમા પ્રેમ તો ગુણો અને સ્વભાવને થવો જોઈએ, નહી કે ફક્ત રૂપને. રૂપ તો સમય જતા ક્ષીણ થતું જવાનું, ત્યારે પ્રેમ કોને કરશો...? હિરો હિરોઈનોને તો ત્રણ ચાર જગ્યા બદલવામા કોઈ ક્ષોભ નહી થાય પરંતુ આપણા સમાજમા એવું શક્ય છે...? 
        ક્યાંક આંખ મળી જવી, પ્રેમ થઈ જવો એમાં કંઈ ખોટું નથી, પરંતુ પારખીને પ્રેમ કરો અને પ્રેમને નિભાવી પણ જાણો..., કોલેજ જતા સીટીબસમાં ઊભા થઈ જગ્યા આપો ને પ્રેમ થઈ જાય અને કોલેજ છુટે ત્યાં પ્રેમ છુટો પડી જાય એ પ્રેમ નથી, એ તો મોહ છે.’ એક બીજાના ગુણ-સ્વભાવને સમજ્યા વગર, રૂપ જોઈ દિલ દઈ બેસવું અને પરણ્યા પછી સમય જતા સામ-સામે જંગે ચડવું ઘણુ પીડાદાયક હોય છે. પરિવારની ઉપરવટ જઈ કરેલા કાર્યમાં પછી તો જેમ હોય એમ કાઠિયાવાડી ભાષામાં ‘ગોબાવું’ પડે. મે ઘણા આવા જોડકાઓની વેદના જોયેલી છે, એટલે આ લખ્યું છે.
         તાજેતરમાં આ દીપુએ રણવીરસિંહ સાથે લગ્ન કર્યા અને બે ચાર દિવસ પછી તો ચોપરા પણ પરણી પણ જશે ત્યાં તો ઘણા જુવાનિયાના દિલ ભાંગી ગયા હશે. ૧૯૯૫મા ટી.વાય.બીકોમ વખતે માર્ચ મહિનામાં BOMBAY ફીલ્મ રજુ થયેલી. એ ફીલ્મ જોઈને કાચી ઉંમરમાં હુ પણ મારાથી ઉંમરમાં મોટી એવી અભિનેત્રી મનિષા કોઈરાલાને દિલ દઈ બેઠેલો. સમય જતા છાપામાં સમાચાર આવેલા કે, એ શરાબનું સેવન કરે છે, ત્યારે હુ ભાંગી પડેલો...😂 એમ કોઈના ગુણ દોષને જાણ્યા જોયા વગર પ્રેમ કરવો એ પણ દુ:ખને નોતરૂ છે. માટે હે...!જુવાનીયાઓ...! એક બીજાને ઓળખીને પ્રેમ કરો અને કદાચ ઓળખ્યા વગર પ્રેમ થઈ જાય તો ‘નિભાવી’ જાણો...!!!😃😃😃

-

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સૌરાષ્ટ્ર ના સંતો

ધન્ય છે આવા સંત ને...                                     જુનાગઢ ઇન્દ્રભારતી બાપુએ દાનમાં મળેલી ૨૭ વીઘા જમીન રાજકોટના પરિવારને કેમ પરત કરી? જાણો મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દોઢ દાયકા પૂર્વે કીર્તિનો ચંદ્ર સોળે કાલે ખીલ્યો હતો તે શ્રીમંત પરિવારને આ સંત મહાત્માએ કરોડો રૂપિયાની દાનમાં મળેલી ૨૭ વીઘાનું જમીનમાં વિકસાવેલ ફાર્મ એ પરિવારને પરત કરી દીધી છે. હકિકત એવી છે કે રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં બંગલામાં રહેતા એક પરિવારમાં ધંધાની સાથે ધાર્મિક- આધ્યાત્મિક ભાવના પણ ભારોભાર ભરેલી, રાજકોટની આ કે. રશિકલાલ એન્ડ કંપનીનો બંગલો હમેશા સંતો મહંતોનો ઉતારો બનીને રહ્યો છે. ધંધાની આગવી સુજ અને ભગવાનની અસીમ કૃપાથી આજથી દોઢ દાયકા પૂર્વે આ પરિવારનો સિતારો બુલંદ હતો. ધન-દોલતની સાથે કીર્તિ અને નામના કમાયે...

મેરેજ

જેવી રીતે નાના બાળકને સમજાવી ફોસલાવી નિશાળે ભણવા લઈ જાય, એવી જ રીતે એકવીસમી સદીના પ્રારંભે ૧૬ જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે સગા સ્નેહીઓ ભેગા મળી એક મૂરતિયાને સમજાવી ફોસલાવી ગૃહસ્થાશ્રમની પાઠશાળાએ ભણવા લઈ ગયા. પગથીએ ઊભો રાખી ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે સાસુમાએ નાક ખેંચી મંડપ પ્રવેશ કરાવ્યો. જમણી બાજુ બેઠેલી જાનડીયુ મીઠા મધુરા ગીતાે ગાતી હતી તો ડાબી બાજુ ડાબેરીઓ જેવી માંડવીયુ ભવા ચડાવીને ફટાણા ફોડતી હતી, તો પાછળ બેસી માંખ્યુ ઉડાડતુ મિત્રવર્તુળ માંડવીયુ ઉપર નજર માંડીને પોતાનુ ભવિષ્ય શોધવામા મશગૂલ હતું. એવામાં ગોરદાદાએ ખભે ગમ્છો નાંખી હાકલો પાડ્યો ‘સમય વર્તે સાવધાન..., કન્યા પધરાવવાનો સમય...!!! ત્યાં તો યુવાનીના ઉંબરે ઊભેલી એક નાજુક નમણી નારને બાવડુ પકડી બહેનપણીઓ માંડવામા લઈ આવી. વાશી ઉત્તરાયણના પતંગને લંગર નાખી લપેટે એમ કન્યાએ વરરાજાની ડોકમાં વરમાળા નાંખી લૂંટી લીધો. કુંવારા ભાઈબંધોએ પોતાના શમણાઓને દબાવીને તાળીઓના ગડગડાટથી પ્રસંગને વધાવી લીધો. ગોરદાદાએ બે છેડાની ગાંઠ બાંધી ત્યાં તો જાનડીયુએ ગીત ઉપાડ્યું..., રામે ધનુષ્ય ભાંગ્યુ રે સદાશિવનું રે... ત્યાં તો આવ્યા છે પરશોરામ, ધનુષ્ય ક...