મુખ્ય સામગ્રી પર જાઓ

ગૌચર થયાં ગુમ

🙏 #જય_શ્રી_ફક્કડાનાથ 🙏


"#ગૌચર" શબ્દ આમ તો ચવાઈ ગયેલ શબ્દ કરતાં ચરાઈ ગયેલો શબ્દ કહેવું મારા મતે વધુ યોગ્ય કહેવાશે. પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ શબ્દ ઘણાં વર્ષોથી આશાનું આથમેલુ કિરણ સાબિત થઈ રહ્યુ છે. પશુઓ માટે ચરિયાણ ની પુરતી જમીન આપવી તે તંત્રની મુળભુત ફરજ છે અને પશુપાલકો નો મુળભુત અધિકાર કહીએ તો પણ અતિશયોક્તિ નથી. તંત્ર ફરજ ચુકી રહ્યુ છે તે સૌ જાણે છે અને ઘણા સંગઠનો નિંદ્રાધીન તંત્ર ને જગાડવા માટે પણ મથી રહ્યા છે પણ પરિણામ કેટલું ??  એ તો મહેનત કરનાર જ જાણે. શ્ર્વેત ક્રાન્તિ નો યશ લેનારાઓ ગુમ થયેલા ગૌચરો નો પણ યશ લે તો કેવુ સારું ?? સરકારશ્રી દ્વારા પણ ગૌ અને ગૌચર વિકાસ નિગમ નામનું એક સરસ મજાનું આર્ટીફીશીયલ (દેખાવડું)  સ્વતંત્ર નિગમ કામ કરી રહ્યુ છે પણ તે ગૌચર વિકાસ-સુધારણા અને ચરિયાણ જમીન બચાવવા મહેનત કરે છે કે ચરી જનારા ને મજબુત કરવા મથે છે તે કદાચ કોઈ જાણી શક્યુ હોય એવુ જણાતું નથી. "ન્યાય નિતી સૌ નાના ને મોટાને સૌ માફ" ના નિયમ મુજબ આ બધા જ તાયફાઓ ને અંતે ભોગવવાનું તો સામાન્ય માલધારી અને પશુપાલક ને જ આવે છે. પશુપાલકો નો માલ ગુમ થયેલા ગૌચરોની શોધમાં જયારે કોઈ ખેડૂતના પાકને ભુલથી ચરી જાય તો ભેલાણ ના મજાના કાયદાકીય નેજા નીચે ના કરવાનુ ઘણું બધું વહીવટ ની રીતે થતુ હોય છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ પશુપાલનનો ધંધામા પણ આવશ્યકતા અને સાચી ઉપલબ્ધતા એ એક સિક્કા ની બે બાજું જ છે. જેની આવશ્યકતા છે તે ઉપલબ્ધ છે ખરૂં ? ઉપલબ્ધ કરાવવાની જેની ફરજ અને જવાબદારી છે તેણે તે જરૂરિયાતો ઉપલબ્ધ કરાવી છે ખરી ? આ બીજી બાજુ નો વિચાર કે ચર્ચા શા માટે નથી કરવામા આવતી ? આ માલધારીની એવી કઈ મજબુરી છે કે એને સીમ-શેઢે ખેતરે-ખેતરે પામર પશુઓના પેટ ભરવા માટે ચરિયાણ શોધવા પડે છે તે બાજુ નો વિચારસુધ્ધાં કહેવાતા બુદ્ધિજીવી લોકો ને આવતો નથી તે કરુણતા સાથે આપણી લાચારી પણ છતી કરે છે. રોડ-રસ્તાની ચિંતા કરનાર ગૌચરની પણ ચિંતા કરે, ડબ્બા મા પુરવાની મહેનત કરનારા 'વાડા' મા માલઢોર પુરાય તે માટે 'વાડાઓ' અપાવવાની પણ મહેનત કરે તેવી માત્ર અપેક્ષા રાખી શકીએ. બાકી માલધારી તો આમ પણ પેહલે થી જ મુસીબતો ને વેંઢારનાર માણસ બની જેવી હોય તેવી પરિસ્થિતિમાં અનુકૂલન સાધીને પોતાનું જીવન અને માલઢોર બધુ જ ઠાકર ભરોસે ચલાવ્યે જાય છે. હવે જોવું એ રહ્યુ કે માલધારીયત નુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોણ વહેલું જાગે છે અને અરે ! ભાઈ, હવે કોણ આવે છે ?? નો આશાવાદી માલધારી સમાજને હકારાત્મક જવાબ આપે છે....

    ✍ #યુવા_માલધારી ✍
 #મનીષ_રાહાભાઈ_જોગરાણા      
             #ઝમરાળા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સૌરાષ્ટ્ર ના સંતો

ધન્ય છે આવા સંત ને...                                     જુનાગઢ ઇન્દ્રભારતી બાપુએ દાનમાં મળેલી ૨૭ વીઘા જમીન રાજકોટના પરિવારને કેમ પરત કરી? જાણો મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દોઢ દાયકા પૂર્વે કીર્તિનો ચંદ્ર સોળે કાલે ખીલ્યો હતો તે શ્રીમંત પરિવારને આ સંત મહાત્માએ કરોડો રૂપિયાની દાનમાં મળેલી ૨૭ વીઘાનું જમીનમાં વિકસાવેલ ફાર્મ એ પરિવારને પરત કરી દીધી છે. હકિકત એવી છે કે રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં બંગલામાં રહેતા એક પરિવારમાં ધંધાની સાથે ધાર્મિક- આધ્યાત્મિક ભાવના પણ ભારોભાર ભરેલી, રાજકોટની આ કે. રશિકલાલ એન્ડ કંપનીનો બંગલો હમેશા સંતો મહંતોનો ઉતારો બનીને રહ્યો છે. ધંધાની આગવી સુજ અને ભગવાનની અસીમ કૃપાથી આજથી દોઢ દાયકા પૂર્વે આ પરિવારનો સિતારો બુલંદ હતો. ધન-દોલતની સાથે કીર્તિ અને નામના કમાયે...

પ્રેમ લગ્ન

પ્રેમ લગ્ન...!       લાખો યુવાદિલોની લાગણીઓની બલિ ચડે ત્યારે એક અભિનેત્રીના લગ્ન થતા હોય છે. દિવાળીની રજાઓમાં ગામની બજારે ઓટલા પરિષદમાં બલિ બનનાર આવા જ એક જુવાનિયાએ મોબાઈલમા આ બન્નેનો ફોટો બતાવી મને પૂછ્યું હતું કે, આ સોપડા(પ્રિયંકા ચોપરા) અનેે  દીપુ(દીપિકા પદુકોણે) પ્રેમલગન કરશે, તે ટકશે એનું..? કેમ લાગે તમને...? પ્રેમલગ્ન વિષે તમારુ શું કહેવું છે...?        લગ્ન બાબતે તો અમારે કાઠિયાવાડમાં ચાલીસ કી.મીના વિસ્તારમાં દિકરા-દિકરીઓને વરાવવા જોણ કરે તો પણ ચાલીસેક જણા લાગતા વળગતાને પૂછપરછ કરે; છોકરો સ્વભાવે કેવો છે...? કમાય છે કે નહી...? આ બધુ દિકરીના સુખી ભવિષ્ય માટે એક બાપને બળતરા થતી હોય. આજના સમયમાં યુવા જગતનું આદર્શ હિરો-હિરોઈનો વધારે છે. ગ્લેમરની દુનિયામાં રૂપ અને સંપતિને વધારે પ્રાધાન્ય અપાય છે. એટલે યુવાદિલોમાં પ્રેમલગ્નો પણ ઘણીવાર સમજ્યા વગરનું આંધળું અનુકરણ પણ હોઈ છે. મન મળતા હોય તો પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. હુ પણ પ્રેમલગ્નનો સમર્થક છું. એક બે જોડાને ભેગા કરવામાં ભાગ પણ ભજવ્યો છે. સમાજના બદલતા જતા પ્રવાહમાં પ્રેમલગ્નનો વિ...

મેરેજ

જેવી રીતે નાના બાળકને સમજાવી ફોસલાવી નિશાળે ભણવા લઈ જાય, એવી જ રીતે એકવીસમી સદીના પ્રારંભે ૧૬ જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે સગા સ્નેહીઓ ભેગા મળી એક મૂરતિયાને સમજાવી ફોસલાવી ગૃહસ્થાશ્રમની પાઠશાળાએ ભણવા લઈ ગયા. પગથીએ ઊભો રાખી ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે સાસુમાએ નાક ખેંચી મંડપ પ્રવેશ કરાવ્યો. જમણી બાજુ બેઠેલી જાનડીયુ મીઠા મધુરા ગીતાે ગાતી હતી તો ડાબી બાજુ ડાબેરીઓ જેવી માંડવીયુ ભવા ચડાવીને ફટાણા ફોડતી હતી, તો પાછળ બેસી માંખ્યુ ઉડાડતુ મિત્રવર્તુળ માંડવીયુ ઉપર નજર માંડીને પોતાનુ ભવિષ્ય શોધવામા મશગૂલ હતું. એવામાં ગોરદાદાએ ખભે ગમ્છો નાંખી હાકલો પાડ્યો ‘સમય વર્તે સાવધાન..., કન્યા પધરાવવાનો સમય...!!! ત્યાં તો યુવાનીના ઉંબરે ઊભેલી એક નાજુક નમણી નારને બાવડુ પકડી બહેનપણીઓ માંડવામા લઈ આવી. વાશી ઉત્તરાયણના પતંગને લંગર નાખી લપેટે એમ કન્યાએ વરરાજાની ડોકમાં વરમાળા નાંખી લૂંટી લીધો. કુંવારા ભાઈબંધોએ પોતાના શમણાઓને દબાવીને તાળીઓના ગડગડાટથી પ્રસંગને વધાવી લીધો. ગોરદાદાએ બે છેડાની ગાંઠ બાંધી ત્યાં તો જાનડીયુએ ગીત ઉપાડ્યું..., રામે ધનુષ્ય ભાંગ્યુ રે સદાશિવનું રે... ત્યાં તો આવ્યા છે પરશોરામ, ધનુષ્ય ક...