મુખ્ય સામગ્રી પર જાઓ

પારલે -G

પારલે -G


આજ હું વાત કરું છું .બિસ્કીટ ની હું નાનો હતો તયારે થી હું બજારમાં જોવ છું. આ બિસ્કીટ આજથી 40 વર્ષ પહેલાં અમો સ્કુલ માં 15 મી ઓગસ્ટ કે 26 મી જાન્યુઆરી આ અમો ને આપવા માં આવતા તે ઘણાં ને યાદ હશે..આ બિસ્કિટ ના ડબા માં પેક આવતા.અને ત્યરે આપતા ત્યરે અમો ઘરે આવી ને ખાતા..આ આઝાદી ની ભેટ મને આજે પણ એવીજ યાદ છે.

પાર્લે જી બિસ્‍કીટ.....


ભલે લોકો ગમેતેમ કહે.....કોઇક તો કહે છે એને કુતરાય સુંધતા નથી.. એ એટલા સસ્‍તા છે કે એનુ પેકેટ હાથ મા લઇ ને નિકળતા કેટલાક માણસ શરમાય છે. !!! . છેલ્‍લા ૫૦ વર્ષ થી એકજ કવોલીટી ના આ પાર્લેજી ને હુ જોતો આવ્‍યો છુ.. એનો ભાવ પણ ભારતીય ખાદ્ય પદાર્થો માં સૌથી સ્‍થિર છે.. હવે આખા દિવસ ના પ૦ રૂપીયા કમાઇ ના શકનાર માટે દસ પંદર રૂપીયામાં આનાથી વધુ સસ્‍તો ખોરાક કે એનાથી વધુ પૌષ્‍ટીક ખોરાક તમે કલ્‍પી શકો તેમ છો ? બે ત્રણ વખત ચા સાથે ખાઇ ને માણસ દહાડો કાઢી શકે છે !!!

 ગરીબ કયાંથી સો બસો રૂપીયાની ભોજન ડીસ જમી શકવાના ?? માનવ વસ્‍તિ વધી છે એમ કુતરાને રોટલા નાખનારા વધ્યા છે.. સોસાયટી ઓ ના ધણા કુતરા ધી વગર ની ભાખરી કે રોટલી પણ ખાતા નથી... ખાત્રી કરી લેજો.. કેમકે સોસાયટી ના બે પાંચ કુતરાઓ ને ખાવાનુ દેવા વાળા પ૦ થી ૧૦૦ ધર હોય છે..તો કુતરા બીસ્‍કીટ તો કયાંથી ખાય ?? પણ ઝુપડપટીના ભૂખ્‍યા બાળકો ને એ જીવવા નો ખોરાક છે.. પાર્લે કુ. પરદેશ ની છે.. અનેક પ્રોડકટો મોંધી મોંધી પણ એની બજાર માં છે.. છતા ય એમણે આ એક પ્રોડકટ ગરીબ માટે નફા વગર કે સાવ મામુલી નફે કે ખોટ થી પણ ચાલુ રાખી છે.. એ તો કહેવુ પડશે.. અને એમા ખાંડનુ પ્રમાણ પણ જાળવ્‍યુ છે.. વર્ષો થી... એજ પાર્લેજી ... એજ લેબલ.. એજ કવોલીટી... એજ ભાવ....ભલે લોકો ગમેતેમ કહે.. સરકાર ગમે તે હોય... ગરીબ પાસે પાર્લે જી બીસ્‍કીટ તો છે જ... વળી હાઇજેનીક.. શુધ્‍ધ... અને.. કદી કોઇ સડેલ કે તબિયત ને નુકશાન કર્તા નથી... તમારી ભેળપુરી કે પીઝા બર્ગર કરતા ય શુધ્‍ધ..પાર્લે જી બિસ્‍કીટ.....

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સૌરાષ્ટ્ર ના સંતો

ધન્ય છે આવા સંત ને...                                     જુનાગઢ ઇન્દ્રભારતી બાપુએ દાનમાં મળેલી ૨૭ વીઘા જમીન રાજકોટના પરિવારને કેમ પરત કરી? જાણો મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દોઢ દાયકા પૂર્વે કીર્તિનો ચંદ્ર સોળે કાલે ખીલ્યો હતો તે શ્રીમંત પરિવારને આ સંત મહાત્માએ કરોડો રૂપિયાની દાનમાં મળેલી ૨૭ વીઘાનું જમીનમાં વિકસાવેલ ફાર્મ એ પરિવારને પરત કરી દીધી છે. હકિકત એવી છે કે રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં બંગલામાં રહેતા એક પરિવારમાં ધંધાની સાથે ધાર્મિક- આધ્યાત્મિક ભાવના પણ ભારોભાર ભરેલી, રાજકોટની આ કે. રશિકલાલ એન્ડ કંપનીનો બંગલો હમેશા સંતો મહંતોનો ઉતારો બનીને રહ્યો છે. ધંધાની આગવી સુજ અને ભગવાનની અસીમ કૃપાથી આજથી દોઢ દાયકા પૂર્વે આ પરિવારનો સિતારો બુલંદ હતો. ધન-દોલતની સાથે કીર્તિ અને નામના કમાયે...

પ્રેમ લગ્ન

પ્રેમ લગ્ન...!       લાખો યુવાદિલોની લાગણીઓની બલિ ચડે ત્યારે એક અભિનેત્રીના લગ્ન થતા હોય છે. દિવાળીની રજાઓમાં ગામની બજારે ઓટલા પરિષદમાં બલિ બનનાર આવા જ એક જુવાનિયાએ મોબાઈલમા આ બન્નેનો ફોટો બતાવી મને પૂછ્યું હતું કે, આ સોપડા(પ્રિયંકા ચોપરા) અનેે  દીપુ(દીપિકા પદુકોણે) પ્રેમલગન કરશે, તે ટકશે એનું..? કેમ લાગે તમને...? પ્રેમલગ્ન વિષે તમારુ શું કહેવું છે...?        લગ્ન બાબતે તો અમારે કાઠિયાવાડમાં ચાલીસ કી.મીના વિસ્તારમાં દિકરા-દિકરીઓને વરાવવા જોણ કરે તો પણ ચાલીસેક જણા લાગતા વળગતાને પૂછપરછ કરે; છોકરો સ્વભાવે કેવો છે...? કમાય છે કે નહી...? આ બધુ દિકરીના સુખી ભવિષ્ય માટે એક બાપને બળતરા થતી હોય. આજના સમયમાં યુવા જગતનું આદર્શ હિરો-હિરોઈનો વધારે છે. ગ્લેમરની દુનિયામાં રૂપ અને સંપતિને વધારે પ્રાધાન્ય અપાય છે. એટલે યુવાદિલોમાં પ્રેમલગ્નો પણ ઘણીવાર સમજ્યા વગરનું આંધળું અનુકરણ પણ હોઈ છે. મન મળતા હોય તો પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. હુ પણ પ્રેમલગ્નનો સમર્થક છું. એક બે જોડાને ભેગા કરવામાં ભાગ પણ ભજવ્યો છે. સમાજના બદલતા જતા પ્રવાહમાં પ્રેમલગ્નનો વિ...

મેરેજ

જેવી રીતે નાના બાળકને સમજાવી ફોસલાવી નિશાળે ભણવા લઈ જાય, એવી જ રીતે એકવીસમી સદીના પ્રારંભે ૧૬ જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે સગા સ્નેહીઓ ભેગા મળી એક મૂરતિયાને સમજાવી ફોસલાવી ગૃહસ્થાશ્રમની પાઠશાળાએ ભણવા લઈ ગયા. પગથીએ ઊભો રાખી ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે સાસુમાએ નાક ખેંચી મંડપ પ્રવેશ કરાવ્યો. જમણી બાજુ બેઠેલી જાનડીયુ મીઠા મધુરા ગીતાે ગાતી હતી તો ડાબી બાજુ ડાબેરીઓ જેવી માંડવીયુ ભવા ચડાવીને ફટાણા ફોડતી હતી, તો પાછળ બેસી માંખ્યુ ઉડાડતુ મિત્રવર્તુળ માંડવીયુ ઉપર નજર માંડીને પોતાનુ ભવિષ્ય શોધવામા મશગૂલ હતું. એવામાં ગોરદાદાએ ખભે ગમ્છો નાંખી હાકલો પાડ્યો ‘સમય વર્તે સાવધાન..., કન્યા પધરાવવાનો સમય...!!! ત્યાં તો યુવાનીના ઉંબરે ઊભેલી એક નાજુક નમણી નારને બાવડુ પકડી બહેનપણીઓ માંડવામા લઈ આવી. વાશી ઉત્તરાયણના પતંગને લંગર નાખી લપેટે એમ કન્યાએ વરરાજાની ડોકમાં વરમાળા નાંખી લૂંટી લીધો. કુંવારા ભાઈબંધોએ પોતાના શમણાઓને દબાવીને તાળીઓના ગડગડાટથી પ્રસંગને વધાવી લીધો. ગોરદાદાએ બે છેડાની ગાંઠ બાંધી ત્યાં તો જાનડીયુએ ગીત ઉપાડ્યું..., રામે ધનુષ્ય ભાંગ્યુ રે સદાશિવનું રે... ત્યાં તો આવ્યા છે પરશોરામ, ધનુષ્ય ક...