મુખ્ય સામગ્રી પર જાઓ

મહિલા ખેડૂતની સિદ્ધી

મહિલા ખેડૂતની સિદ્ધી, દોઢ વિઘા જમીનમાં કરી 5 લાખની કમાણી
*************************************************************
મહેસાણાની એક ખેડૂત મહિલાએ નવો રાહ ચીંધ્યો છે માત્ર દોઢ વિઘા જમીનમાં આધુનિક ખેતી કરીને 5 લાખ કરતા વધુની આવક કરી રહ્યા છે અને સમાજે અને સરકારે તેમને અનેક પ્રોત્સાહન પુરા પડ્યા છે અને એવોર્ડથી પણ નવાજ્યા છે હાલમાં આશરે દોઢ ટન કાકડી પકવીને તેમને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.

મહેસાણા નજીકનાં મોટીદાઉ ગામનાં સરોજબેન પટેલ દેશનાં સફળ મહિલા ખેડૂત બન્યાં છે. ખેતીમાં નવિન પ્રયોગો અને સંઘર્ષમય સફળતા હાંસલ કરનારી દેશની 50 મહિલાઓ પૈકી એમનું પણ સન્માન થયું છે. તેમને દિલ્હી ખાતે કેન્દ્રિય કૃષિમંત્રીના હસ્તે મહિલા કિસાન એવોર્ડથી સન્માન કરાયા છે અને રાજ્ય સરકારે તેમને તાલુકા સહિત જિલ્લા અને રાજ્યના બેસ્ટ મહિલા ખેડૂતનો એવોર્ડ પણ આપી ચુક્યા છે.

સરોજબેન પટેલ આમ તો એમ.એ એફિલ સહિત બી.એડનો આભ્યાસ કરી હાલમાં તેમના ખેતરમાં એક સારા શિક્ષકની ભૂમિકા અદા કરે છે અને મહેસાણામાં તેમની ખેતીના પાક માટે વેપારી પણ થનગની જાય છે. તાજેતરમાં દેશમાં ખેતીમાં સફળ મહિલાઓની જીવનગાથા સાથે દિલ્હીમાં રિયાલીટી શો યોજાયો હતો. જેમાં પણ 81 માર્ક્સ સાથે સરોજબેનની પસંદગી ગુજરાતમાં પ્રથમ રહી હતી. મહિલા ખેડૂત તરીકે નામના ધરાવતા સરોજબેન પટેલ ગ્રીનહાઉસમાં ખેતી કરી રહ્યાં છે.

એક એકરમાં ટપક પદ્ધતિથી ખીરા કાકડીના વાવેતરમાં દોઢ ટન ઉત્પાદન મેળવીને બીજા રાઉન્ડમાં વાવેતર કર્યું છે. અત્યારે જમીનમાં રોગ આવતાં તેમના જાત અનુભવ થકી કાકડીનું ઉત્પાદન શરૂ કર્યું છે. સરોજબેને એક એકરમાં વાવતેર પછી આ બીજા ઉતારામાં દોઢ ટન કાકડી થઇ છે. કિલોએ રૂ.20 થી 35 સુધી ભાવ મેળવી રહ્યા છે ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી વૈવિધ્ય પાક ઉત્પાદન કરતાં સરોજબેનને ખેતીમાં સફળતા બદલ દિલ્હીમાં કૃષિમંત્રી રાધામોહન તેમજ રૂપાલાના હસ્તે એવોર્ડ અર્પણ પણ થયો છે.

એક તરફ આજે ખેડૂતો દેવાના ડુંગર નીચે આવી ગયા છે તેવામાં આજે મહિલા ખેતી ન કરી શકવા માટે ટેવાયેલા સભ્ય સમાજને સરોજ બેન મહિલા ખેડૂતની નામના મેળવીને સમાજને એક નવો ચીલો આપી રહ્યા છે. બીજી તરફ વર્ષે 5 લાખ કરતા વધુની આવક મેળવીને એક નવો રાહ બીજી મહિલા ને આપી રહ્યા છે  woman-farmer-earns-5-lakhs-in-one-and-a-half-bigha-land/

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સૌરાષ્ટ્ર ના સંતો

ધન્ય છે આવા સંત ને...                                     જુનાગઢ ઇન્દ્રભારતી બાપુએ દાનમાં મળેલી ૨૭ વીઘા જમીન રાજકોટના પરિવારને કેમ પરત કરી? જાણો મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દોઢ દાયકા પૂર્વે કીર્તિનો ચંદ્ર સોળે કાલે ખીલ્યો હતો તે શ્રીમંત પરિવારને આ સંત મહાત્માએ કરોડો રૂપિયાની દાનમાં મળેલી ૨૭ વીઘાનું જમીનમાં વિકસાવેલ ફાર્મ એ પરિવારને પરત કરી દીધી છે. હકિકત એવી છે કે રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં બંગલામાં રહેતા એક પરિવારમાં ધંધાની સાથે ધાર્મિક- આધ્યાત્મિક ભાવના પણ ભારોભાર ભરેલી, રાજકોટની આ કે. રશિકલાલ એન્ડ કંપનીનો બંગલો હમેશા સંતો મહંતોનો ઉતારો બનીને રહ્યો છે. ધંધાની આગવી સુજ અને ભગવાનની અસીમ કૃપાથી આજથી દોઢ દાયકા પૂર્વે આ પરિવારનો સિતારો બુલંદ હતો. ધન-દોલતની સાથે કીર્તિ અને નામના કમાયે...

ગરીબના દિલની અમીરી

👉 " ગરીબના દિલની અમીરી " એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને બોલાવ્યો. એની આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા. આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા. દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને ...

પ્રેમ લગ્ન

પ્રેમ લગ્ન...!       લાખો યુવાદિલોની લાગણીઓની બલિ ચડે ત્યારે એક અભિનેત્રીના લગ્ન થતા હોય છે. દિવાળીની રજાઓમાં ગામની બજારે ઓટલા પરિષદમાં બલિ બનનાર આવા જ એક જુવાનિયાએ મોબાઈલમા આ બન્નેનો ફોટો બતાવી મને પૂછ્યું હતું કે, આ સોપડા(પ્રિયંકા ચોપરા) અનેે  દીપુ(દીપિકા પદુકોણે) પ્રેમલગન કરશે, તે ટકશે એનું..? કેમ લાગે તમને...? પ્રેમલગ્ન વિષે તમારુ શું કહેવું છે...?        લગ્ન બાબતે તો અમારે કાઠિયાવાડમાં ચાલીસ કી.મીના વિસ્તારમાં દિકરા-દિકરીઓને વરાવવા જોણ કરે તો પણ ચાલીસેક જણા લાગતા વળગતાને પૂછપરછ કરે; છોકરો સ્વભાવે કેવો છે...? કમાય છે કે નહી...? આ બધુ દિકરીના સુખી ભવિષ્ય માટે એક બાપને બળતરા થતી હોય. આજના સમયમાં યુવા જગતનું આદર્શ હિરો-હિરોઈનો વધારે છે. ગ્લેમરની દુનિયામાં રૂપ અને સંપતિને વધારે પ્રાધાન્ય અપાય છે. એટલે યુવાદિલોમાં પ્રેમલગ્નો પણ ઘણીવાર સમજ્યા વગરનું આંધળું અનુકરણ પણ હોઈ છે. મન મળતા હોય તો પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. હુ પણ પ્રેમલગ્નનો સમર્થક છું. એક બે જોડાને ભેગા કરવામાં ભાગ પણ ભજવ્યો છે. સમાજના બદલતા જતા પ્રવાહમાં પ્રેમલગ્નનો વિ...