આજની વસંત પંચમી આ રીતે જ અનાયાસ ઉજવાઈ ગઇ. ભાઇ બહેનનો આ નિર્વ્યાજ પ્રેમ અને ઝઘડો પણ પ્રકૃતિનો જ એક ગુણ છે. શિયાળાની સવારે જે ઘરમાં આવો કલશોર મચે છે એ ઘરની પવિત્રતા અને શોભા કોઇ મંદિરથી કમ નથી. આજે આ બન્નેની રમતનાં કારણે મારું ઘર પણ પાવન થયું. જે હિંડોળે બેસી હું વાંચું લખું ત્યાં આ ધીંગામસ્તી જોઇ મન નાચી ઉઠ્યું. મને જાણે કે માણસ લેખે અભિશાપ સિવાય બીજું કાંઇ મળ્યું નથી એવું ઘણીવાર લાગે. કેમકે મને મારું બાળપણ કે એનાં કોઇ કિસ્સાઓ આજે યાદ નથી. મારી બહેનો મને યાદ કરાવે ત્યારે હું હા ભણી દઉં છું પણ મને એ કદી દ્રશ્યપટ પર આવતું નથી. પ્રકૃતિ વિના આ જગત ખંઢેર બની જશે. ત્યારે કદાચ બાળક જ આપણને ઉગારી લેશે..એટલે જ આપણે કહીએ છીએ ને કે બાળકમાં ભગવાન વસે છે..
પ્રેમ લગ્ન...! લાખો યુવાદિલોની લાગણીઓની બલિ ચડે ત્યારે એક અભિનેત્રીના લગ્ન થતા હોય છે. દિવાળીની રજાઓમાં ગામની બજારે ઓટલા પરિષદમાં બલિ બનનાર આવા જ એક જુવાનિયાએ મોબાઈલમા આ બન્નેનો ફોટો બતાવી મને પૂછ્યું હતું કે, આ સોપડા(પ્રિયંકા ચોપરા) અનેે દીપુ(દીપિકા પદુકોણે) પ્રેમલગન કરશે, તે ટકશે એનું..? કેમ લાગે તમને...? પ્રેમલગ્ન વિષે તમારુ શું કહેવું છે...? લગ્ન બાબતે તો અમારે કાઠિયાવાડમાં ચાલીસ કી.મીના વિસ્તારમાં દિકરા-દિકરીઓને વરાવવા જોણ કરે તો પણ ચાલીસેક જણા લાગતા વળગતાને પૂછપરછ કરે; છોકરો સ્વભાવે કેવો છે...? કમાય છે કે નહી...? આ બધુ દિકરીના સુખી ભવિષ્ય માટે એક બાપને બળતરા થતી હોય. આજના સમયમાં યુવા જગતનું આદર્શ હિરો-હિરોઈનો વધારે છે. ગ્લેમરની દુનિયામાં રૂપ અને સંપતિને વધારે પ્રાધાન્ય અપાય છે. એટલે યુવાદિલોમાં પ્રેમલગ્નો પણ ઘણીવાર સમજ્યા વગરનું આંધળું અનુકરણ પણ હોઈ છે. મન મળતા હોય તો પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. હુ પણ પ્રેમલગ્નનો સમર્થક છું. એક બે જોડાને ભેગા કરવામાં ભાગ પણ ભજવ્યો છે. સમાજના બદલતા જતા પ્રવાહમાં પ્રેમલગ્નનો વિ...

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો